Author : RAJENDRA MOHAN BHATNAGAR
ISBN No : 9789388882972
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
ઈ.સ. પૂર્વે 344. ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ શૂદ્ર હતા. તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે તેઓ બીજા પરશુરામ પણ કહેવાયા. ભારતના એ સૌથી પહેલા મહાન અને પરાક્રમી સમ્રાટ કહેવાય છે.... અને એ જ વંશનો છેલ્લો રાજા છે ધનનંદ. અપાર સંપત્તિ, વિશાળ સામ્રાજ્ય અને અતિ શક્તિશાળી એવાં મગધ રાજ્યનો સર્વેસર્વા.અને...ચંદ્રગુપ્ત મૌર્ય. સાધારણ કુળમાં જન્મેલો એક ક્ષત્રિય – તો પછી શા માટે મહાન સિકંદરના સેનાપતિએ પોતાની પુત્રી કાર્નેલિયાનાં લગ્ન તેની સાથે કર્યા? વિશ્વવિજેતા સિકંદર પણ જેની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતો નહોતો, એ મહાન અને અજોડ નંદવંશનું પતન આચાર્ય ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કેવી રીતે કર્યું?--આ ગાથા છે એક મહાન વંશના પતન અને અખંડ ભારતના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ઉદયની!